Jain Yaksha-Yakshini | 24 Tirthankara’s Adhishthayak Dev Devi
Jains pay their respect and worship idols of Jinas for three reasons:
• He has liberated Himself and attained Moksha
• He expounded the path of Liberation
• To get inspiration to become like Him
The only goal of Jainism is to free ourselves from the worldly sufferings and attain liberation. Jina is a liberated soul, freed of its material body and resides at the top of the universe, in a region called Siddha-loka, according to Jain Cosmology. The images/idols of Jinas are intended to serve as reminders to the faithful, of the possibility of liberation. They served as role models for both the Jain laity, guiding their ethical code of living, and for the aspirant, providing inspiration and a reminder that spiritual liberation is an attainable goal.
As a detached soul, the Jina is incapable of responding to a devotee’s prayers or requests. This inability to intervene, to respond to the prayers and offerings from the faithful, sets Jina apart from both all Hindu and most Buddhist deities.
In addition to the images/idols of Jinas, we notice images and/or idols of Yakshas and Yakshinis (deities) in many Jain temples. These deities are seen as neither eternal nor divine, and they themselves are said to be worshippers of the Jina, true devotees of Jina. In addition, these Yakshas and Yakshinis are full of passions and are wandering through the cycles of birth and death just like us.
Yakshas are males and Yakshinis are females. They are also called Shäsandevtäs (male ones) and Shäsandevis (female ones). They are guardian deities, angels of order. They are heavenly beings of Vyantar group who have supernatural powers including ability to change their forms and sizes. Either these Yakshas or Yakshinis were appointed by Indra (king of heaven) or were positively associated with Tirthankars in their previous lives. Even though, Tirthankars do not require or ask for any protection, these Yakshas and Yakshinis watched over them due to their devotion towards the Tirthankars and come back to protect Jainism whenever it becomes necessary.
The earlier scriptures like the Sthänänga-sutra, Uttarädhyayan-sutra, Bhagawati-sutra, Tattvärtha-sutra, Antagadadasäo-sutra, and Pauma-chariya have frequent references to Yakshas and Yakshinis. Many Jains pay their respect to these Yakshas and Yakshinis for their protection to Tirthankars and the Jain faith. Yakshas and Yakshinis These are the reasons, they are found around the images of Jinas as well as their individual images are worshipped in many Jain temples.
Yaksha is usually found on the right side of the Jina idol while Yakshini on the left side. In Jain temples, they are never situated in superior physical locations in relation to idols of the Jinas.
These are benevolent Yakshas and Yakshinis. There are also malevolent Yakshas and Yakshinis who caused sufferings to the Tirthankars and create troubles for Jains and the existence of Jainism. For example, Yaksha Sulpäni troubled Lord Mahävir in his mediation and inflicted much suffering and there are similar stories in which malevolent Yakshas troubled others as well.
We Jains do not pay our respects or worship Yakshas and Yakshinis for the material gains, favour and freedom from fear, illness and disease. We do pay our respect to them for their service to Tirthankars and Jainism. Asking for materialistic gains from them will be quite opposite to the teachings of Jinas.
Each tirthankar has his own Yaksha and Yakshini. Pl visit narration chart of 24 Tirthankars
Given below is a brief description of the various Yakshas and Yakshinis worshipped in Jain temples:
Chakreshwari Devi
She is the dedicated attendant deity of lord Ädi Näth (Rishabhadev). She is also called by another name i.e. Apratichakrä. The color of this goddess is golden. Her vehicle is the eagle. She has eight arms. In her four right hands she holds the blessing Mudrä (posture), arrow, rope and wheel respectively. In her four left hands she holds a rein, a bow, the protective weapon of Indra and the wheel.
A very good temple of Chakreswari Devi is at Sirhind, Punjab India
Ambika Devi
She is the dedicated deity of Lord Nemi-Näth, the 22nd Tirthankar. She is also called Ambai Amba and Amra Kushmändini. Her color is golden and the lion is her vehicle. She has four arms. In her two right hands she carries a mango and in the other a branch of a mango tree. In her one left hand she carries a rein and in the other she has her two sons. Famous Ambika Temple is at Ambaji, Gujarat, India
Padmävati Devi
She is the dedicated deity of Lord Pärshva-Näth, the 23rd Tirthankar. Her color is red/golden and her vehicle is a snake with a cock’s head. She has four arms and her two right hands hold a lotus and a rosary respectively. The two left hands hold a fruit and a rein respectively. Very famous temples of Shri Padmavati Devi are at Naroda, Ahmedabad, Gujarat, Aadinath temple Walkeswar and Humcha in Shimoga District of Karnataka, India
Saraswati Devi
Saraswati, the goddess of knowledge, is considered to be the source of all learning. This divine energy is the source of spiritual light, remover of all ignorance and promoter of all knowledge. She is respected and adored by all faiths, worldly persons and saints. She has four arms, one holding a book, the other a rosary and two hands holding a musical instrument – Veenä. Her seat is a lotus and the peacock is her vehicle representing equanimity in prosperity. In some places it is mentioned that the swan is her vehicle.
Lakshmi Devi
Goddess Lakshmi represents wealth. The people worship her as the goddess of wealth, power, money etc. In the upper two hands, she is holding a lotus, in the lower right hand a rosary and in the lower left hand a pot full of gold coins. Her vehicle is the elephant.
Manibhadra Dev
Shri Manibhadra is originally a Yaksha, worshipped by Indian masses since very old times and his introduction to Jain worship is only a later adaptation. It is an image of six armed Yaksha with an elephant as his vehicle. There are three main temples of shri Manibhadra Vir. One at Aglod near vijapur, Gujarat
another at Magharwada near Mehsana, Gujarat and one at Ujjain Madhya Pradesh
Ghantäkarna Veer
This deity is worshipped for protection and for driving away the evil influence created by the lower types of negative energy. His arrow indicates penetration of evil forces. The bow gives forceful momentum to the arrow. His symbol is the bell that resounds to create auspicious sounds in the atmosphere. Sometimes the people who are not aware of the facts erroneously call him Ghantäkarna Mahävir that creates confusion between Lord Mahävir and Ghantäkarna Veer. Lord Mahävir is 24th Tirthankar of present chovishi in Jainism while Ghantakarna Mahavir is a Rakshak Dev and he is established as one of 52 Vir. Main temple of Shri Ghantakarna Mahavir is at Mahudi, near Vijapur, Gujarat
Nakoda Bhairava
This is the tutelary Bhairava. This deity is usually found near the entrance of a temple. People from far and near, visit the shrine and make offerings to the deity on fulfilment of their material desires. It is a positive force around the temple. Main Temple of Shri Nakoda Bhairav is at Nakoda, near Balotara in Barmer District of Rajasthan
Bhomiyäji
This deity is in the shape of a mountain. It is the natural positive energy of Mt. Sametshikhar in Bihar. This energy inspires and guides believers and travellers. Main temple of Shri Bhomiyaji is at bottom of mount Parswanath i.e. Samet Sikhar in Bihar.
________________________________________________
જૈન સંપ્રદાયમાં અને લોકજીવનમાં પૂજાતા ઃ બાવનવીર
પારિભાષિક કોશમાં ચાર વીર ગણાવ્યા છે. (૧) વિદ્યાવીર, (૨) યુદ્ધવીર (૩) દાનવીર (૪) દયાવીર. શાસ્ત્રોમાં બાવનવીર અને ૬૪ જોગણિયું ગણાવાઈ છે. ભગવદ્ગોમંડલ અનુસાર વીર એટલે મહાન કાર્યમાં ઝંપલાવનાર મર્દ માણસ. હનુમાન, મહાવીર, શૂરવીર, પરાક્રમી, યોદ્ધો, સુભટ, લડવૈયો, તામસ મન્વન્તરમાંનો એક દેવ, બહેનનો ભાઈ, નવમાંનો એક રસ, હાથી, ભૂત, દરિયાની ભરતી એવા અર્થ થાય છે. વીરની એક કહેવત પણ જાણીતી છે. ‘ચાંદ માથે ને વીર સાથે’ અર્થાત્ દરરોજ રાત્રે કે દિવસે ચાંદ બરોબર માથે આવે ત્યારે વીર એટલે ભરતીની શરૂઆત થાય. વીર સાથે અનેક શબ્દો જોડાયેલાં છે. ઉ.ત. વીરબાહુ, એ નામના એક મુનિ જેમણે ઇન્દ્રજાલ નામનું જાદુનું શાસ્ત્ર રચ્યું. વીરભદ્ર-અગિયાર માંહેનો એક રુદ્ર. વીરક્રિયા-દુઃખિયાનું રક્ષણ કરવા સ્વાર્પણ કરવાની વૃત્તિ. વીરગતિ-બહાદુરને શોભે એવું મૃત્યુ. આજે ઉપક્રમ લોકસમાજમાં પ્રચલિત બાવન વીરોની વાત કરવાનો છે.
લોકકથાઓમાં પરદુઃખભંજક ઉજેણીના રાજવી વીરવિક્રમના પરાક્રમો વાંચવા મળે છે. એમાં ‘અગિયા વીર’ની વાત આવે છે. આગિયાર વીર જ્યાં પડે ત્યાં અગ્ન્યાસ્ત્રની જેમ બઘું બાળીને ભસ્મ કરી નાખતા. એની સાધના કરવાથી આ વીર ધાર્યું કામ કરી આપતા. એવી જ ‘મસાણિયા વીર’ની પણ વાતો મળે છે. ઉત્તર ગુજરાતમાં વીરપૂજા વિશેષરૂપે જાણીતી છે. મહુડીમાં ઘંટાકર્ણવીર શ્રદ્ધાપૂર્વક પૂજાય છે. કાળીચૌદસના દિવસે ભક્તો મંત્રો દ્વારા વીરની સાધના-પૂજા કરે છે. ઉ.ગુજરાતના મોટા ભાગના ગામોમાં વીરના સ્થાનકો જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં પુનમિયા વીરની પૂજા પ્રચલિત છે. રાજસ્થાનમાં વીરબાવજી પૂજાય છે. ભારતના આ બધા વીરોની નામાવલિ વિદ્વાન સંશોધક સ્વ. શ્રી અગરચંદ નાહટાએ તૈયાર કરી હતી જે વાસુદેવ-શરણ અગ્રવાલના ગ્રંથ પ્રાચીન ભારતીય લોકધર્મમાં પરિશિષ્ટરૂપે મૂકી છે તે અનુસાર બાવન વીરો આ મુજબ ગણાય છે.
૧. ક્ષેત્રપાલવીર. ૨. કપિલ ૩. બટુક ૪. નારસંિહ ૫. ગોપાલ. ૬. ભૈરવ. ૭. ગરુડ. ૮. રક્તવર્ણ ૯. દેવસેન ૧૦. રુદ્ર. ૧૧. વરૂણ. ૧૨. ભદ્ર. ૧૩. વજ્ર. ૧૪. વજ્રજંધ ૧૫. સ્કંધ. ૧૬. કુટુ ૧૭. પ્રિયંકર ૧૮. પ્રિયમિત્ર ૧૯. વર્ણ. ૨૦. કંદર્પ, ૨૧. હંસ. ૨૨. એકગંધ. ૨૩. ઘટોપથ. ૨૪ દાયક ૨૫. કાલ ૨૬. મહાકાલ. ૨૭. મેઘનાદ ૨૮. ભીમ. ૨૯. મહાભીમ. ૩૦. તુંગભદ્ર. ૩૧. વિદ્યાધર. ૩૨. વસુમિત્ર ૩૩. વિશ્વસેન. ૩૪. નાગ. ૩૫. નાગહસ્ત. ૩૬. પ્રદ્યુમ્ન. ૩૭. કંપિલ ૩૮. બકુલ. ૩૯. ઉરદ્ધપદ. ૪૦. ત્રિમુખ. ૪૧. પિશાચ. ૪૨. ભૂતભૈરવ. ૪૩. મહાપિશાચ. ૪૪. કાલમુખ. ૪૫ કુનક ૪૬. અસ્તિમુખ. ૪૭. રેતોબેધસ. ૪૮. શ્મશાનાચાર ૪૯. કેલિકલ ૫૦. ભૃંગ. ૫૧. કટક ૫૨. વિભિષણ.
લોકજીવનમાં પ્રચલિત બાવનવીરોની નામાવલીઓની ચાર યાદીઓ સંશોધનમાં મને પ્રાપ્ત થઈ છે. બીજી યાદી રાજસ્થાનની પ્રાચીન હસ્તપ્રતમાંથી પ્રાપ્ત થઈ છે તે આ મુજબ છે.
૧. છાપિલો ૨. ઘુલિયોવીર. ૩. તલપઆહારી વીર. ૪. સૂલિ ભંજન વીર. ૫. નાડીતોડણ વીર. ૬. મસાંસ તોડણ વીર. ૭. ગડઉપઝણવીર. ૮. સમુદ્ર ઉતરાણ વીર. ૯. સમુદ્ર શોષણવીર. ૧૦. પર્વત ઉપાડણ વીર. ૧૧. લોહભંજન વીર. ૧૨. સાંતોડણ વીર. ૧૩. વિષપહારી વીર. ૧૪. રૂંડમાલ વીર. ૧૫. આગિષાઉ વીર. ૧૬. સાપષાઉ વીર. ૧૭. જમઘંટી વીર. ૧૮. અસલટીવિર. ૯. કાલો વીર. ૨૦ ગોરો વીર. ૨૧. અગ્નિકાન્ત વીર. ૨૨. વિષકાન્ત વીર. ૨૩. રગતિયો વીર. ૨૪. કાલિયો વીર. ૨૫. કાલવેલ વીર. ૨૬. કાલ ઘરટ વીર. ૨૭. ઈન્દ્ર વીર. ૨૮ જમવીર. ૨૯. દેવારિ વીર. ૩૦. દુરિતા વીર. ૩૧. દુરિપાવીર. ૩૨. હરિયા વીર. ૩૩. ઝાંપડો વીર. ૩૪. મણિભદ્ર વીર. ૩૫. કાપડી વીર. ૩૬. નારસંિહ વીર. ૩૭. ગોરિલો વીર. ૩૮. ધૂંટવીર. ૩૯. કુટક વીર. ૪૦. વક વીર. ૪૧. મહાવીર. ૪૨. સંતોષ વીર. ૪૩. ભ્રમર વીર. ૪૪. મહામર વીર. ૪૫. કેદાર વીર. ૪૬. સહસ્ત્રષાંણ વીર. ૪૭. સહસ્ત્રાક વીર. ૪૮. ભૂતષાંણ વીર. ૪૯. શાકની માર વીર. ૫૦. ડાકની માર વીર. ૫૧. સહસ્ત્રાષ્ય વીર. ૫૨. ઉત્તમાદિક વીર.
બાવન વીરોની ત્રીજી યાદી જૈન મુનિ શ્રી જયસાગરસૂરિ રચિત ‘જિનદત્ત-સૂરિચારિત’માંથી મળી છે. જેમાં બાવન વીરોની નામાવલિ આ મુજબ આપી છે. ૧. વાપિલ્લો. ૨. ખુદિયો. ૩. તલપહરી. ૪. નાડીતોડ. ૫. સૂલિભંજણ. ૬. મસાણલોટણ. ૭. ગઢપાડણ ૮. સમુદ્ર તારણ. ૯. સમુદ્ર શોષણ. ૧૦. લોહભંજણ. ૧૧. સંકલ તોડણ. ૧૨. વિસખાપરો. ૧૩. રૂંડમાલ. ૧૪. અગિયો. ૧૫. બાપવીર. ૧૬. જમઘંટ ૧૭. કાલ. ૧૮. અકાલ. ૧૯. અગ્નિકાંતિ. ૨૦. વિષકાંતિ. ૨૧. રગતિયો. ૨૨. કોઈલો. ૨૩. કાલિયાર. ૨૪. કાલબેલ ૨૫. કાલાઘરટ્ટ. ૨૬. ઈન્દ્રવીર. ૨૭. યમવીર. ૨૮. દેવારિ. ૨૯. દુરિતારી. ૩૦. હરાદિર. ૩૧. ઝાંપકો. ૩૨. માણિભાદ્ર. ૩૩. કાપડિયો. ૩૪. કંદારો. ૩૫. નહારસંિહ. ૩૬. ગોરો. ૩૭. ઘટ, ૩૮. કંટક. ૩૯. વગ. ૪૦. મહાવગ. ૪૧. સંતોષ. ૪૨. મહાસંતોષ. ૪૩. ભ્રમર. ૪૪. મહાભ્રમર. ૪૫. સહસ્ત્રાવ. ૪૬. સાહસાંગ. ૪૭. ક્ષેત્રપાલ. ૪૮. ભૂતખાણ. ૪૯. શાકનીમાર. ૫૦. દેવરથ ભંજણ. ૫૧. સાલવાહન ૫૨. આદ્રકુમાર
બિકાનેરના જૈનમુનિ પૂ. વિજયેન્દ્રસુરિજી પાસેથી શ્રી અગરચંદ નાહટાને બાવનવીરોની ત્રીજી એક યાદી આ મુજબ પ્રાપ્ત થઈ છે. ૧. કપિઉંવીર ૨. ખોડિયા વીર. ૩. લપહારી વીર. ૪. નાડીતોડ વીર. ૫. સુલી ભંજન વીર. ૬. મસાણ લોટણ વીર. ૭. ગઢપાચણ વીર. ૮. સમુદ્ર તીરણ વીર. ૯. સમુદ્ર શોષણ વીર. ૧૦. લોહભંજન વીર. ૧૧. સાંકલીતોડ વીર. ૧૨. વિશ્નપારબર વીર. ૧૩. રૂંડમાલ વીર. ૧૪. આગિયા વીર. ૧૫. વાપવીર. ૧૬. યમઘંટ વીર. ૧૭. કાલિ વીર. ૧૮. અકાલ વીર. ૧૯. અગ્નિકંત વીર. ૨૦. વિષક્રન્ત વીર. ૨૧. રગતિયા વીર. ૨૨. કોયલા વીર. ૨૩. કાલિયા વીર. ૨૪. કાલવેર વીર. ૨૫. કાલઘંટ. ૨૬. ઈન્દ્ર વીર. ૨૭. જમ વીર. ૨૮. દેવરારિ વીર. ૨૯. દુતરારિ વીર. ૩૦. હરારિ વીર. ૩૧. ઝાંપડા વીર. ૩૨. માણિભદ્ર વીર. ૩૩. કાપડિયો વીર. ૩૪. કેદારો વીર. ૩૫. નારસંિહ વીર. ૩૬. ગુરચલો વીર. ૩૭. ઘટ વીર. ૩૮. કાતર વીર. ૩૯. બાંગુવીર. ૪૦. મહતવીર. ૪૧. સંતોષ વીર. ૪૨. સંતોષ મહાવીર. ૪૩. ભમર વીર. ૪૪. મહાભમર વીર. ૪૫. ક્ષેત્રપાલ વીર. ૪૬. ભુતષાણ વીર. ૪૭. હંિડવખાન વીર. ૪૮. મહષાણ વીર. ૪૯. સાકિણી ભૂતવીર. ૫૦. દરુત ભંજન વીર. ૫૧. એરાજ ભાલવાહન વીર. ૫૨. આદ્રકવીર.
આ ચારેય યાદીઓમાં કેટલાક વીરોના નામો જુદી જુદી યાદીઓમાં બેવડાતા પણ જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં પણ વીરપૂજન જાણીતું છે. જનહિતાર્થે લીલુડાં માથાં કુરબાન કરનાર વીરો લોકજીવનમાં પૂજાય છે. કચ્છમાં જખદેવ પૂજાય છે. ગામડાગામની બહેન દીકરિયુંની લાજ લૂંટાતી બચાવનાર. ગામની ગાયોને લૂંટારાના હાથમાંથી છોડાવનાર. અલૌકિક વીરતા બતાવનાર વીરો લોકહૃદયમાં માનપાન ને સ્થાન મેળવે છે. એવા વીરોના પાળિયા આજેય પૂજાય છે.
INFORMATION FROM : GUJRAT SAMACHAR
તીર્થંકરના યક્ષો
.
તીર્થંકરોની ભક્તિમાં વિશેષ અધિષ્ઠાયક દેવો, તે યક્ષ કહેવાય. ચોવીશ તીર્થંકરોના ચોવીશ યક્ષો છે, જેના નામો નીચે પ્રમાણે આપેલા છે-
1. ગોમુખ, 2. મહાયક્ષ, 3. ત્રિમુખ, 4. ઇશ્વર, 5. તુંબરું, 6. કુસુમ, 7. માતંગ, 8. વિજય, 9. અજિત, 10. બ્રહ્મ, 11. મનુજ, 12. સુરકુમાર, 13. ષણ્મુખ, 14. પાતાલ, 15. કિન્નર, 16. ગરુડ, 17. ગંધર્વ, 18. યક્ષેન્દ્ર, 19. કુબર, 20. વરૂણ, 21. ભ્રકુટિ, 22. ગોમેધ, 23. વામન, 24. માતંગ.
1. પ્રથમ જિનનો ગોમુખ નામે યક્ષ છે. તેને સુવર્ણ વર્ણ, હાથીનું વાહન અને ચાર ભુજા અને તેના જમણા બે હાથમાં વરદાનમુદ્રા તથા અક્ષમાલા છે અને ડાબા બે હાથમાં બીજોરૂ (માતુલિંગ) તથા પાશ છે.
2. અજિતનાથનો મહાયક્ષ નામે યક્ષ છે. તેને ચાર મુખ, શ્યામવર્ણ અને હાથીનું વાહન અને આઠ હાથ છે. તેમાં જમણા ચાર હાથમાં વરદાનમુદ્રા, મુદ્ગર, અક્ષમાલા અને પાશ છે. ડાબા ચાર હાથમાં બીજોરૂ, અભયમુદ્રા, અંકુશ અને શક્તિ છે.
3. સંભવનાથનો ત્રિમુખ નામે યક્ષ છે. તેને ત્રણ મુખ, ત્રણ નેત્ર, શ્યામ વર્ણ, મયૂર વાહન અને છ હાથ છે. તેમાં જમણા ત્રણ હાથમાં નોળિયો, ગદા, અભયમુદ્રા છે અને ડાબા ત્રણ હાથમાં માતુલિંગ, અક્ષમાલા, અને નાગ છે.
4. અભિનંદનસ્વામીનો ઈશ્વર નામે યક્ષ છે. તેનો વર્ણ શ્યામ, હાથનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં માતુલિંગ અને અક્ષમાલા છે તથા ડાબા બે હાથમાં નોળિયો અને અંકુશ છે.
5. સુમિતનાથનો તુંબરું નામે યક્ષ છે. તેનો વર્ણ શ્વેત, ગરૂડવાહન અને ચાર હાથ, છે. જમણા બે હાથમાં વરદાન મુદ્રા અને શક્તિ છે. ડાબા બે હાથમાં ગદા અને નાગપાશ છે.
6. પદ્મપ્રભસ્વામીનો કુસુમ નામે યક્ષ છે. તેનો વર્ણ નીલ, હરણનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં ફળ અને અભય મુદ્રા છે અને ડાબા બે હાથમાં નોળિયો અને અક્ષમાલા છે.
7. સુપાર્શ્વનાથનો માતંગ નામે યક્ષ છે. તેનો વર્ણ નીલ, હાથીનું વાહન, અને ચાર હાથ છે, જમણા બે હાથમાં બિલ્વ અને પાશ છે અને ડાબા બે હાથમાં નોળિયો અને અંકુશ છે.
8. ચંદ્રપ્રભનો વિજય નામે યક્ષ છે. તેનો વર્ણ નીલ છે, ત્રણ આંખ હંસનું વાહન અને બે હાથ છે, જમણા હાથમાં ચક્ર અને ડાબા હાથમાં મુદ્ગર છે.
9. સુવિધિનાથને અજિત નામે યક્ષ છે. તેનો વર્ણ શ્વેત છે, કાચબાનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં માતુલિંગ, અક્ષમાલા છે અને ડાબા બે હાથમાં નોળિયો અને ભાલો છે.
10. શીતલનાથનો બ્રહ્મા નામે યક્ષ છે. તેનો વર્ણ સફેદ, ચાર મુખ, ત્રણ આંખ, પદ્માસન અને આઠ હાથ છે. જમણા ચાર હાથમાં માતુલિંગ, પાશ, મુદ્ગર, અભયમુદ્રા છે. અને ડાબા ચાર હાથમાં નોળિયો, ગદા, અંકુશ, અક્ષમાલા છે.
11. શ્રેયાંસનાથનો મનુજ નામે યક્ષ છે. મતાંતરે ઈશ્વર નામ છે. તેનો વર્ણ સફેદ, ત્રણ આંખ, બળદનું વાહન અને ચાર હાથ છે, જમણા બે હાથમાં બીજોરૂ અને ગદા છે અને ડાબા બે હાથમાં નોળિયો અને અક્ષમાલા છે.
12. વાસુપૂજ્યસ્વામિનો સુરકુમાર નામે યક્ષ છે. તેનો વર્ણ શ્વેત, હંસનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં બીજોરૂ અને બાણ છે. અને ડાબા બે હાથમાં નોળિયો અને ધનુષ છે.
13. વિમલનાથનો ષણ્મુખ નામે યક્ષ છે. તેનો વર્ણ શ્વેત, મોરનું વાહન અને બાર હાથ છે. જમણા છ હાથમાં ફળ, ચક્ર, બાણ, તલવાર, પાશ, અક્ષમાલા છે અને ડાબા છ હાથમાં નોળિયો, ચક્ર, ધનુષ, ફલક, અંકુશ તથા અભયમુદ્રા છે.
14. અનંતનાથનો પાતાલ નામે યક્ષ છે. તેને ત્રણ મુખ, લાલ વર્ણ, મગરનું વાહન અને છ હાથ છે. જમણા હાથમાં કમળ, તલવાર અન પાશ છે અને ડાબા ત્રણ હાથમાં નોળિયો, ફલક અને અક્ષમાલા છે.
15. ધર્મનાથને કિન્નર નામે યક્ષ છે. તેને ત્રણ મુખ, વર્ણ લાલ, કાચબાનું વાહન તથા છ હાથ છે. જમણા ત્રણ હાથમાં બીજોરૂ, ગદા, અને અભયમુદ્રા છે. ડાબા ત્રણ હાથમાં નોળિયો, કમલ, અક્ષમાલા છે.
16. શાંતિનાથનો ગરૂડ નામે યક્ષ છે. તેને વરાહનું વાહન, મુખ વરાહ જેવું છે. વર્ણ શ્યામ છે તથા ચાર હાથ છે. જમણા બે હાથમાં બીજોરૂ અને કમલ અને ડાબા બે હાથમાં નોળિયો, અક્ષમાલા છે.
17. કુંથુનાથનો ગાંધર્વ નામે યક્ષ છે. તેનો વર્ણ શ્યામ છે. હંસનું વાહન તથા ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાનમુદ્રા અને પાશ છે. ડાબા બે હાથમાં માતુલિંગ અને અંકુશ છે.
18. અરનાથનો યક્ષેન્દ્ર નામે યક્ષ છે. તેને છ મુખ, ત્રણ આંખ અને વર્ણ શ્યામ છે. શંખનું વાહન તથા બાર હાથ છે. જમણા છ હાથમાં બીજોરૂ, બાણ, ખડૂગ, મુદ્ગર, પાશ અને અભયમુદ્રા છે. અને ડાબા છ હાથમાં નોળિયો ધનુષ, ચર્મફલક (ઢાલ), શૂલ અંકુશ અને અક્ષમાલા છે.
19. મલ્લિનાથનો કુબર નામનો યક્ષ છે. તેને ચાર મુખ, ઈન્દ્રધનુષ્ય જેવો વર્ણ, હાથીનું વાહન અને આઠ હાથ છે. જમણા ચાર હાથમાં વરદાનમુદ્રા, પરશુ, શૂલ અને અભયમુદ્રા છે. તથા ડાબા ચાર હાથમાં બીજોરૂ, શક્તિ, મુદ્ગર અને અક્ષમાલા છે. બીજા ગ્રંથોમાં કુબરની જગ્યાએ કુબેર કહ્યું છે.
20. મુનિસુવ્રતસ્વામીનો વરૂણ નામે યક્ષ છે. તેને ચાર મુખ, ત્રણ આંખ, શ્વેત વર્ણ અને વૃષભનું વાહન છે. માથા ઉપર જટાનો મુગટ છે. તેને આઠ હાથ છે. જમણા ચાર હાથમાં બીજોરૂ, ગદા, બાણ અને શક્તિ છે તથા ડાબા ચાર હાથમાં નોળિયો, કમલ, ધનુષ અને પરશુ છે.
21. નમિનાથનો ભ્રકુટિ નામે યક્ષ છે. તેન ચાર મુખ, સુવર્ણ વર્ણ, ત્રણ આંખ અને બળદનું વાહન છે. જમણા ચાર હાથમાં બીજોરૂ, શક્તિ, મુદ્ગર અને અભયમુદ્રા છે. ડાબા ચાર હાથમાં નોળિયો, પરશુ, વજ્ર, અને અક્ષમાલા છે.
22. નેમનાથને ગોમેધ નામે યક્ષ છે. તેને ત્રણ મુખ, શ્યામ વર્ણ, પુરુષનું વાહન અને છ હાથ છે. જમણા ત્રણ હાથમાં માતુલિંગ, પરશુ અને ચક્ર છે તથા ડાબા ત્રણ હાથમાં નોળિયો, શૂલ અને શક્તિ છે.
23. પાર્શ્વનાથને વામન નામે યક્ષ છે. મતાંતરે પાર્શ્વ નામે યક્ષ છે. તેને હાથીના જેવું મુખ, મસ્તક, ઉપર સર્પની ફણા, શ્યામ વર્ણ, કાચબાનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં બીજોરૂ અને સર્પ છે તથા ડાબા બે હાથમાં નોળિયો અને ભુજંગ (સર્પ ) છે.
24. મહાવીરસ્વામીને માતંગ નામે યક્ષ છે. તેને શ્યામ વર્ણ, હાથીનું વાહન, અને બે હાથ છે. જમણા હાથમાં નોળિયો અને ડાબા હાથમાં બીજોરૂ છે.
| | : J I N : | |
તીર્થંકરની યક્ષિણીઓ
તીર્થંકરોની ભક્તિમાં વિશેષ અધિષ્ઠાયક દેવીઓ તે યક્ષિણી કહેવાય. ચોવીશ તીર્થંકરોની ચોવીશ યક્ષિણીઓ છે, જેના નામો નીચે પ્રમાણે આપેલા છે-
1. ચક્કેશ્વરી, 2. અજિતા, 3. દુરિતારિ, 4. કાલી, 5. મહાકાલી, 6. અચ્યુતા, 7. શાંતા, 8. જ્વાલા, 9. સુતારા, 10. અશોકા, 11. શ્રીવત્સા, 12. પ્રવરા, 13. વિજયા, 14. અંકુશા 15. પ્રજ્ઞપ્તિ, 16. નિર્વાણી, 17. અચ્યુતા, 18. ધરણી, 19. વૈરુટ્યા, 20. અચ્છુપ્તા, 21. ગાંધારી, 22. અંબા, 23. પદ્માવતી, 24. સિદ્ધાયિકા.
1. ઋષભદેવની ચક્કેશ્વરી દેવી મતાંતરે અપ્રતિચક્રા દેવી છે. તેને સુવર્ણ વર્ણ, ગરૂડનું વાહન અને આઠ હાથ છે. જમણા ચાર હાથમાં વરદાનમુદ્રા, બાણ, ચક્ર અને પાશ છે તથા ડાબા ચાર હાથમાં ધનુષ, વજ્ર, ચક્ર અને અંકુશ છે.
2. અજિતનાથની અજિતાદેવી અથવા અજિતાબલા છે. તેને ગૌર વર્ણ, લોહાસન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાનમુદ્રા અને પાશ છે તથા ડાબા બે હાથમાં બીજોરૂ અને અંકુશ છે.
3. સંભવનાથની દુરિતારિદેવી છે. તેને ગૌર વર્ણ, મેષનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાનમુદ્રા અને અક્ષમાલા છે તથા ડાબા બે હાથમાં ફલ અને અભયમુદ્રા છે.
4. અભિનંદનસ્વામિની કાલી નામે દેવી છે. તેને શ્યામ વર્ણ, કમળનું આસન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાનમુદ્રા અને પાશ તથા ડાબા બે હાથમાં નાગ અને અંકુશ છે.
5. સુમતિનાથની મહાકાલી નામે દેવી છે. તેને સુવર્ણ વર્ણ, કમળનું આસન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાનમુદ્રા અને પાશ છે તથા ડાબા બે હાથમાં બીજોરૂ અને અંકુશ છે.
6. પદ્મપ્રભુની અચ્યુતા નામે દેવી છે. મતાંતરે શ્યામા નામે દેવી છે. તેને શ્યામ વર્ણ, નરનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાનમુદ્રા અને વીણા છે તથા ડાબા બે હાથમાં ધનુષ અને અભયમુદ્રા છે.
7. સુપાર્શ્વનાથની શાંતા નામે દેવી છે. તેને સુવર્ણ વર્ણ, હાથીનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાનમુદ્રા અને અક્ષસૂત્ર છે. તથા ડાબા બે હાથમાં શૂલ અને અભયમુદ્રા છે.
8. ચંદ્રપ્રભુની જ્વાલા નામે દેવી છે. મતાંતરે ભૃકુટિ દેવી છે. તેને પીળો વર્ણ, વરાલક નામના પ્રાણીનં વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં ખડ્ગ અને મુદ્ગર છે તથા ડાબા બે હાથમાં ફલક એટલે ઢાલ અને પરશુ છે.
9. સુવિધિનાથની સુતારાદેવી છે. તેને ગૌર વર્ણ, વૃષભનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાનમુદ્રા અને અક્ષમાલા છે તથા ડાબા બે હાથમાં કળશ અને અંકુશ છે.
10. શીતલનાથની અશોકાદેવી છે. તેને નીલ વર્ણ, કમળનું આસન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાનમુદ્રા અને પાશ છે તથા ડાબા બે હાથમાં ફળ અને અંકુશ છે.
11. શ્રેયાંસનાથની શ્રીવત્સા નામે દેવી છે મતાંતરે માનવીદેવી છે. તેને ગૌર વર્ણ, સિંહનું વાહન તથા ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાનમુદ્રા અને મુદ્ગર છે તથા ડાબા બે હાથમાં કળશ અને અંકુશ છે.
12. વાસુપૂજ્યસ્વામિની પ્રવરા નામે દેવી મતાંતરે ચંડાદેવી છે. તેને શ્યામ વર્ણ, ઘોડાનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાનમુદ્રા અને શક્તિ છે તથા ડાબા બે હાથમાં ફૂલ અને ગદા છે.
13. વિમલનાથની વિજયા નામે દેવી છે. મતાંતરે વિદિતાદેવી છે. તેને હડતાલ જેવો વર્ણ, કમળનું આસન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં બાણ અને પાશ છે તથા ડાબા બે હાથમાં ધનુષ અને નાગ છે.
14. અનંતનાથની અંકુશા નામે દેવી છે. તેને ગૌર વર્ણ, કમળનું આસન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં ખડ્ગ અને પાશ છે તથા ડાબા બે હાથમાં ઢાલ અને અંકુશ છે.
15. ધર્મનાથની પન્નગા નામે દેવી છે. મતાંતરે કંદર્પાદેવી છે. તેને ગૌર વર્ણ, મત્સ્યનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં કમળ અને અંકુશ છે તથા ડાબા બે હાથમાં કમળ અને અભયમુદ્રા છે.
16. શાન્તિનાથની નિર્વાણીદેવી છે. તેને સુવર્ણ જેવો વર્ણ, કમળનું આસન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં પુસ્તક અને કમળ છે તથા ડાબા બે હાથમાં કમંડળ અને કમળ છે.
17. કુંથુનાથની અચ્ચુતા નામે દેવી છે મતાંતરે બલાદેવી છે. તેને સુવર્ણ જેવો વર્ણ, મયુરનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં બીજોરૂ અને શૂલ છે તથા ડાબા બે હાથમાં મુષુણ્ઢિ અને કમળ છે.
18. અરનાથની ધરણી નામે દેવી છે. તેને નીલવર્ણ, કમળનું આસન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં માતુલિંગ અને કમળ છે તથા ડાબા બે હાથમાં કમળ અને અક્ષમાળા છે.
19. મલ્લિનાથની વૈરૂટ્યા નામે દેવી છે. તેને કૃષ્ણવર્ણ કમલનું આસન, અને ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાનમુદ્રા અને અક્ષમાળા છે. તથા ડાબા બે હાથમાં બીજોરૂ અને શક્તિ છે.
20. મુનિસુવ્રતસ્વામિની અચ્છુપ્તા નામે દેવી છે. મતાંતરે નરદત્તાદેવી છે. તેને સુવર્ણવર્ણ, ભદ્રાસનનું આસન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાન મુદ્રા અને અક્ષમાળા છે તથા ડાબા બે હાથમાં બીજોરૂ અને શૂલ છે.
21. નમિનાથની ગાંધારી નામે દેવી છે તેને શ્વેતવર્ણ, હંસનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં વરદાનમુદ્રા અને ખડ્ગ છે તથા ડાબા બે હાથમાં બીજોરૂ તથા ભાલો છે.
22. નેમિનાથની અંબિકા નામે દેવી છે. તેને સુવર્ણવર્ણ, સિંહનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં આંબાની લૂમ અને પાશ છે તથા ડાબા બે હાથમાં પુત્ર અને અંકુશ છે.
23. પાર્શ્વનાથની પદ્માવતી નામે દેવી છે. તેને સુવર્ણ વર્ણ, કુર્કટ સર્પનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં કમળ અને પાશ છે તથા ડાબા બે હાથમાં ફળ અને અંકુશ છે.
24. મહાવીરજિનની સિદ્ધાયિકા નામે દેવી છે. તેને લીલો વર્ણ, સિંહનું વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં પુસ્તક અને અભયમુદ્રા છે તથા ડાબા બે હાથમાં બીજોરૂ અને વીણા છે..