First Nisihi Trik

First Nisihi Trik

1 નિસીહિ ત્રિક :

 

નિસહિ

   ↑

      પહેલી નિસીહિ  : અગૃદ્વારે             

      બીજી નિસીહિ  :    ગર્ભદ્વારે           

                ત્રીજી નિસીહિ   :     ચૈત્યવંદનના                                                                પ્રારંભે                        

                                          

 

શબ્દાર્થ : નિસીહિ = નિષેધ કરવો, રોકવું, 

અટકવું (બ્રેક મારવી) ત્રણ નિસીહિ દ્વારા ત્રણ જગ્યાએ 

વિવિધ કાર્યોનો ત્યાગ કરવાનો છે.

 

1. પહેલી નિસીહિ : સંસારનાં તમામ 

પાપકાર્યોના ત્યાગ માટે જિનાલયના મુખ્યદ્વાર પાસે બોલવી.

 

2. બીજી નિસીહિ : જિનાલયના ચોપડા જોવા, 

નામું લખવું, સલાટ, પૂજારી, મિસ્ત્રી, આદિને કાર્યાન્વિત

કરવા, પાટપાટલા આદિને ઠેકાણે મૂકવા આદિ તમામ

કાર્યો પ્રત્યે શ્રાવકે કાળજી કરવાની છે. તે બધું કરી લીધા

બાદ હવે તે જિનાલય સંબંધી કાર્યોના પણ ત્યાગ માટે,

ગર્ભદ્વાર પાસે પહોંચીને ગભારામાં પ્રવેશ કરતાં બીજી નિસહિ બોલવી.

 

3. ત્રીજી નિસીહિ : અષ્ટપ્રકારી જિનપૂજા પૂર્ણ

કર્યા બાદ ચૈત્યવંદનનો પ્રારંભ કરતાં પહેલાં દ્રવ્યપૂજા 

સંબંધી કાર્યોના ત્યાગ માટે આ નિસીહિ બોલવી.

 

નિસીહિ :

 

બ્રેક વગરની ઈમ્પાલાકાર હોય કે મર્સીડીઝ-કાર હોય પણ નકામી છે. એ કઈ મિનિટે કર્યા ભીટકાડી દે તે કહેવાય નહિ. એવી બેકલેસ કાર કરતાં બી સાયકલ સારી. જે માણસ પોતાના તન, મન અને વચન પર કંટ્રોલ નથી રાખી શકતો તે પણ બેક વિનાની કાર જેટલો જ જોખમી છે, કઈ મિનિટે એ કયું પાપ કરી બેસશે તેનો ભરોસો ન રાખી શકાય. જિનાલય જેવા પવિત્ર સ્થળમાં આવ્યા પછી જો માણસ પોતાના સ્વેચ્છાચાર પર બ્રેક ન મારે તો ચીકણા કર્મ બાંધી બેસે એટલે જિનાલયના પ્રવેશ દ્વાર પર જ માણસે પહેલાં એક બેક મારી દેવાની છે અને પરમાત્માના મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં સંસારના તમામ વ્યવહારોને કટ-ઑફ કરી દેવાના છે. જિનેશ્વરનું મંદિર એ અધ્યાત્મયોગની રંગભૂમિ છે. ભક્તિયોગની એ નૃત્યભૂમિ છે. ત્યાં સાંસારિક ચાળા ચાલી શકે નહિ. મનની માયાના બધા જાળાં ફગાવી દઈને અહિં પરમાત્મામાં એકાકાર બનવાનું છે. સાંસારિક વ્યવહારોમાંથી મન, વચન, કાયાના યોગોને નિવૃત્ત કરવા માટે નિસીહિનો પ્રયોગ કરવાનો છે. નિસીહિ બોલવાથી એ સંકલ્પ થાય છે. અને સંકલ્પ થાય એટલે ત્રણ યોગો પર આપોઆપ કંટ્રોલ આવી જાય છે. મુશ્કેલ કાર્ય પણ સંકલ્પ દ્વારા સુગમ થઈ જાય છે. ઘણા માણસો નિસીહિ શા માટે બોલવાની છે અને તે દ્વારા શું પ્રતિજ્ઞા કરવામાં આવે છે તેનો મીનીંગ સમજતા નથી એટલે માત્ર પોપટ પાઠની જેમ નિસીહિ બોલીને મંદિરમાં પ્રવેશી જતા હોય છે. નિસીહિ દ્વારા થયેલી પ્રતિજ્ઞાનો ખ્યાલ નથી એટલે પછી યથેચ્છ રીતે વર્તે છે. ડાફોરીયાં મારે છે. રંગમંડપમાં ઉભા રહીને વાર્તા કરે છે. અને ઘોર કર્મોને ઉપાર્જે છે. આવા આત્માઓ આ નિસીહિત્રિકને સમજે અને પોતાની સ્વચ્છંદ ચેષ્ટાઓ બંધ કરે.

 

કેટલાક કથાપ્રસંગો :

A. એ ધંધુકા નગરીનો શ્રાવક હતો. જિનદાસ એનું નામ હતું. રાજા ભીમદેવે તેને દંડનાયક તરીકે નીમ્યો હતો. પૂજા કરતાં એક સૈનિકે આવીને પૂછયું કે, આ ચારણે ઊંટની ચોરી કરી છે, તેને શું સજા કરવી ? જિનદાસ નિસીહિ કહીને મંદિરમાં પ્રવેશ્યા હતા, એટલે મોઢેથી બોલ્યા તો નહિ પણ ફૂલની ડીંટડી તોડીને ઈશારાથી ફાંસી આપી દેવાનું સૂચન કર્યું. ત્યારે પેલો ચારણ બોલ્યો કે, જિનેશ્વર અને જિનદાસનો કયાંય મેળ ખાય છે ખરો ? એક તારણહાર છે ત્યારે બીજો મારણહાર છે! અંતે જિનદાસે એ સજા રદબાતલ કરી અને નિસીહિનો ભંગ થવા બદલ પ્રભુ પાસે ક્ષમાયાચના કરી.

જિનાલયનાં ઉપકરણો પ્રત્યે અને સાફસફાઈ પ્રત્યે જો પૂરતું ધ્યાન આપે તો ઘણી આશાતનાઓ અને અવ્યવસ્થાઓમાં સુધારો થઈ જાય. કિન્તુ આજે તો કહેવાતા ટ્રસ્ટીઓ પણ બેદરકાર હોય છે, ત્યાં બીજાની શી વાત કરવી ?

 

B. એક મોટા શહેરમાં એક ભાઈ પ્રવચન સાંભળીને મારી પાસે દોડી આવ્યા. સાહેબ! આજે આપે સંસારનાં કાર્યો જિનાલયમાં ત્યાગવાની જે વાત જણાવી એ મારા હૃદયને અસર કરી ગઈ છે. આજ સુધીમાં ત્રણ વાર મેં દેરાસરના કમ્પાઉન્ડમાં મૂરતિયાને છોકરી દેખાડવાનું પાપ કરેલ છે. મને પ્રાયશ્ચિત આપો અને ધર્મસ્થાનમાં કરેલા આ મહાપાપથી મને બચાવી લો, હવે પછી હું કયારેય આપણી આ પવિત્ર જગ્યાએ આ પાપ નહિ કરું. નિસીહિ ત્રિકને જીવનભર પાળીશ.

 

કેટલીક સાવધાની:

A. નિસીહિ દ્વારા સંસારનાં પાપકાર્યોંના.

 ત્યાગની જાહેરાત થઈ ગયા બાદ જિનાલયમાં

કોઈપણ પ્રકારની વેપાર-ધંધાની, સાજા-માંદાની,

સગા-સંબંધીની વાત કરવી નહિ.

 

B. છોકરી દેખાડવાની કે મૂરતિયો જોવાની

 ચેષ્ટા જિનાલય જેવા પવિત્ર સ્થળે ન કરવી.

 

C. દુકાને મળવાનાં, ઘેર જમવાનાં, માંડવે

કે સાદડીમાં પધારવાનાં આમંત્રણો જિનાલયમાં ન

 આપવાં અને તેવાં બોર્ડ પણ દેરાસરમાં ન લખવાં.

 

D. ચૈત્યવંદન શરૂ કરતાં ત્રીજી નિસીહિ

 બોલી દ્રવ્યપૂજા સંબંધી વચન, વિચાર અને વર્તનનો 

ત્યાગ કરી દીધા પછી કોઈ તમે કરેલી આંગી ઉતારી 

લે અથવા સાથીયો કરેલો પાટલો ઉપાડી લે તો, 

તમારાથી એક શબ્દ પણ કહી શકાય નહિ. 

આંખનો ઈશારો પણ કરી શકાય નહિ. 

તમારે તે સમયે ભાવપૂજામાં તદાકાર બનવાનું છે, એ ભૂલાય નહિ.

 

E. પહેલી નિસીહિ કર્યા બાદ મંદિરનાં કાર્યો 

કરવાની છૂટ હોવા છતાં આજે મોટાભાગના માણસો

 તે બાબતમાં બેદરકાર હોય છે. પ્રત્યેક માણસ જો

જિનાલયનાં ઉપકરણો પ્રત્યે અને સાફસફાઈ પ્રત્યે જો

પૂરતું ધ્યાન આપે તો ઘણી આશાતનાઓ અને

અવ્યવસ્થાઓમાં સુધારો થઈ જાય. કિન્તુ આજે તો

કહેવાતા ટ્રસ્ટીઓ પણ બેદરકાર હોય છે, ત્યાં

બીજાની શી વાત કરવી ?

 

F. મંદિરમાં કોઈનાં છીદ્ર ઉઘાડાં કરનારું,

હૃદયનાં મર્મને ઘા કરનારું વાકય તો કયારેય પણ ન

બોલવું.

 

 

 

 

 

Related Articles