Navpad oli ki vidhi

Navpad oli ki vidhi

Navpad oli ki vidhi

श्री नवपद ओली आराधना….
तप एवं क्रिया की विस्तृत जानकारी….

अनंत उपकारी भगवान् महावीर की देशना अनुसार नवपद ओली आराधना आत्मकल्याण का सर्वोत्कृष्ट साधन है।
पञ्चपरमेष्ठी (5) सम्यग् दर्शन, ज्ञान, चारित्र (3) एवं तप (1) कुल 9 जिनशासन के 9 रत्नों की यह आराधना है।
एक एक रत्न के जितने गुण है, उतनी क्रियाएँ की जाती है, जो गुणधर्म का रंग है, उस रंग के खाद्य पदार्थ का आयम्बिल किया जाता है।

1⃣ प्रथम दिवस : श्री अरिहंत पद आराधना
( रंग – सफेद वर्ण ) काऊसग्ग 12 लोगस्स
प्रदिक्षणा -12, खमासमणा -12, स्वस्तिक -12, आयम्बिल : चावल
नवकारवाली -20, नमो अरिहंताणं

2⃣ द्वित्तीय दिवस : श्री सिद्ध पद आराधना
( रंग – लाल वर्ण ) काउसग्ग 8 लोगग्स
प्रदिक्षणा – 8, खमासमणा – 8
स्वस्तिक – 8, आयम्बिल : गेहूं का
नवकारवाली – 20 नमो सिद्धाणं

3⃣ तृतीय दिवस : श्री आचार्य पद आराधना
( रंग – पीला ) काउसग्ग 36 लोगस्स
प्रदिक्षणा – 36, खमासमणा – 36
स्वस्तिक – 36, आयम्बिल : चने की दाल का
नवकारवाली – 20 नमो आयरियाणं

4⃣ चतुर्थ दिवस : श्री उपाध्याय पद आराधना
( रंग – नीला ) काउसग्ग 25 लोगस्स
प्रदिक्षणा – 25, खमासमणा -25
स्वस्तिक – 25, आयम्बिल : मुंग का
नवकारवाली – 20, नमो उव्वझायाणं

5⃣ पंचम दिवस : श्री साधु पद की आराधना
( रंग – श्याम ) काउसग्ग 27 लोगस्स
प्रदिक्षणा – 27, खमासमणा – 27
स्वस्तिक – 27, आयम्बिल : काली उड़द का
नावकारवाली – 20, नमो लोए सव्वसाहूणं

6⃣ छठा दिवस : सम्यग् दर्शन की आराधना
( रंग -सफेद ) काउसग्ग 67 लोगस्स
प्रदिक्षणा – 67, खमासमणा – 67
स्वस्तिक – 67, आयम्बिल : चावल का
नवकारवाली – 20, नमो दंसणस्स

7⃣ सप्तम दिवस : सम्यग् ज्ञान पद की आराधना
( रंग – सफेद ) काउसग्ग 51 लोगस्स
प्रदिक्षणा – 51, खमासमणा – 51
स्वस्तिक – 51, आयम्बिल : चावल का
नवकारवाली – 20, नमो नाणस्स

8⃣ अष्टम दिवस : सम्यग् चारित्र पद की आराधना
( रंग – सफेद ) काउसग्ग 70 लोगस्स
प्रदिक्षणा – 70, खमासमणा -70
स्वस्तिक – 70, आयम्बिल : चावल का
नवकारवाली – 20, नमो चारित्तस्स

9⃣ नवम दिवस : तप पद की आराधना
( रंग – सफेद ) काउसग्ग 50 लोगस्स
प्रदिक्षणा – 50, खमासमणा – 50
स्वस्तिक – 50, आयम्बिल : चावल का
नवकारवाली – 20, नमो तवस्स

ચૈત્ર- મહિનામાં આવતી નવપદજીની આયંબિલની ઓળીનો અનેરો મહિમા…..જૈન ધર્મમાં એને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે : જેમ ર્તીથમાં શ્રી શત્રુંજય ગિરિરાજ શાશ્વત છે એમ નવપદની આ ઓળીને પણ શાશ્વતી માનવામાં આવે છે….આયંબિલ કરવાથી એક હજાર કરોડ વરસ નું નારકી નું આયુષ્ય તૂટે છે..
અનંત કરુણાના સ્વામી શ્રી ર્તીથંકર પરમાત્માએ સંસારના સર્વ જીવોને દુ:ખમુક્ત કરવા અને અનંત સુખના ભાગી બનાવવા માટે ધર્મર્તીથની સ્થાપના કરી એ ધર્મર્તીથની આરાધના-ઉપાસના માટે અસંખ્ય યોગ ફરમાવ્યા છે. જે જીવની જે-જે પ્રકારની લાયકાત, યોગ્યતા, ક્ષમતા, ભૂમિકા, કક્ષા, સંયોગ, શક્તિ એ-એ પ્રકારના યોગો એને માટે દર્શાવ્યા છે. આ અસંખ્ય યોગો પૈકી આબાલવૃદ્ધ સૌકોઈને એકસરખી રીતે ઉપકારક નીવડે એવો પ્રધાનયોગ છે નવપદની આરાધના. જૈનોના ઘર-ઘરમાં, ઘટ-ઘટમાં વસેલા આ નવપદનો મહિમા દર્શાવતા મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ‘નવપદની પૂજા’માં દર્શાવ્યું છે કે –
યોગ અસંખ્ય છે જિન કહ્યા
નવપદ મુખ્ય તે જાણો રે
એહ તણા અવલંબને
આતમ-ધ્યાન પ્રમાણો રે…
જૈન ધર્મમાં નવપદજીની આરાધનાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે અને એ માટે ચૈત્ર અને આસો મહિનામાં નવ-નવ દિવસની આયંબિલની ઓળીનો ઉત્સવ નિયત કરવામાં આવ્યો છે. જેમ ર્તીથમાં શ્રી શત્રુંજય ગિરિરાજ શાશ્વત છે એમ નવપદની આ ઓળીને પણ શાશ્વતી માનવામાં આવે છે. ઓળીના આ નવે દિવસને અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એમ નવપદ સાથે જોડવામાં આવે છે અને નવ દિવસ રોજ એક-એક પદની આરાધના નિશ્ચિત કરેલાં ખમાસણાં, લોગસ્સના કાઉસગ્ગ એ પદના જપની નવકારવાળી, સાથિયા વગેરે વિધિ સાથે કરવામાં આવે છે.
જૈન ધર્મમાં આયંબિલને રસત્યાગની તપશ્ચર્યા કહેવામાં આવે છે. રસત્યાગ એટલે સ્વાદનો ત્યાગ એટલે કે લૂખો આહાર. આયંબિલ કરનારે દિવસમાં ફક્ત એક વાર, એક આસને બેસીને ઘી, તેલ, ખાંડ, ગોળ ઇત્યાદિ સ્નિગ્ધ પદાર્થો વગર અને સ્વાદેન્દ્રિયને ઉત્તેજનાર એવા મસાલા વગરનો લૂખો આહાર લેવાનો હોય છે. રસેન્દ્રિય પર સંયમ મેળવ્યા વિના રસત્યાગ કરવો સહેલો નથી એટલે કેટલાકને આયંબિલ કરવું સહેલું લાગતું નથી, કારણ કે ન ભાવતું ભોજન કરવા માટે રસેન્દ્રિય પર અસાધારણ સંયમની જરૂર છે.
આયંબિલ કરવા સાથે જે જુદા-જુદા પ્રકારની તપશ્ચર્યા થાય છે એમાં એક ઘણી આકરી અને ધીરજની કસોટી કરનારી લાંબા સમયની મોટી તપશ્ચર્યા એ વર્ધમાન તપની ઓળી છે. વર્ધમાન એટલે વધવું. જેમ-જેમ સમય જાય તેમ-તેમ તપ વધતું જાય. એવું તપ એ વર્ધમાન તપ. આ તપમાં મુખ્ય આયંબિલ છે અને સાથે ઉપવાસ હોય છે. એમાં એક આયંબિલની ઓળીથી ક્રમે-કમે વધતાં સો આયંબિલની ઓળી સુધી પહોંચવાનું છે. આ તપ કરનારે પ્રથમની પાંચ ઓળી એકસાથે કરવાની હોય છે. એક આયંબિલ અને એક ઉપવાસ, પછી બે આયંબિલ ને એક ઉપવાસ, ત્રણ આયંબિલ ને એક ઉપવાસ, ચાર આયંબિલ ને એક ઉપવાસ અને પાંચ આયંબિલ ને એક ઉપવાસ. એ રીતે સળંગ વીસ દિવસ સુધીમાં કુલ પંદર આયંબિલ અને પાંચ ઉપવાસ કરવાના હોય છે. ત્યાર પછી શક્તિ, રુચિ અને અનુકૂળતા પ્રમાણે કાં તો તરત અથવા થોડા દિવસ પછી છ આયંબિલ અને એક ઉપવાસ કરવાના હોય છે. એમ કરતાં અનુકૂળતા પ્રમાણે અનુક્રમે સો આયંબિલ અને એક ઉપવાસ સુધી પહોંચવાનું હોય છે. આમ વર્ધમાન તપની આયંબિલની ઓળીમાં કુલ ૫૦૫૦ આયંબિલ અને ૧૦૦ ઉપવાસ કરવાના આવે છે. આમ ઓળી વચ્ચે એક પણ દિવસનો ખાડો પાડ્યા વગર સળંગ આયંબિલ અને ઉપવાસની તપશ્ચર્યા કરે તો પણ માણસને સો ઓળીની આ તપશ્ચર્યા પૂરી કરતાં ૫૧૫૦ દિવસ એટલે કે ૧૪ વર્ષ કરતાં વધુ સમય લાગે. બે ઓળી વચ્ચે છૂટના જેમ વધારે દિવસ પસાર થાય એમ એ તપશ્ચર્યા લંબાય. ક્યારેક વીસ-પચીસ વર્ષ પણ થાય. લાખો માણસોમાં કોઈ વિરલ માણસ જ આટલાં બધાં વર્ષ ધીરજપૂર્વક આ તપશ્ચર્યા કરી શકે. જોકે આવી ર્દીઘકાલીન તપશ્ચર્યા કરનારા માણસો આજે પણ વિદ્યમાન છે એ આનંદની વાત છે. કેટલાકે તો પોતાના જીવનમાં એકસો કે એથી વધુ વર્ધમાન તપની ઓળી કરી હોય એવા ઘણા દાખલા જૈન ઇતિહાસના પાને નોંધાયા છે.
વર્ધમાન તપની ઓળીની આરાધના જો શુદ્ધ અને શુભ ભાવથી કરવામાં આવી હોય તો એથી ઐહિક જીવનમાં શુભ કાર્યોમાં વિઘ્નો કે અંતરાયો દૂર થાય છે. એથી મોટામાં મોટો લાભ તો એ છે કે આ આરાધનાથી ર્તીથંકર નામકર્મ બંધાય છે.
આમ આયંબિલની ઓળીની આરાધનામાં જોડાઈને નવપદની સાધના દ્વારા તપ-જપ, સ્વરૂપ ચિંતન અને ધ્યાનના પ્રભાવથી આપણે સૌ આપણા જીવનને સાર્થક બનાવી, ભાવિને ઉજ્જવળ બનાવી, શીઘ્ર પરમાત્મપદના ભોક્તા બનીએ એ જ શુભ કામના. છેલ્લે શ્રી જ્ઞાનવિમલસૂરિજીની સુંદર પંક્તિઓથી આ લેખની સમાપ્તિ કરીએ.
ઇમ નવપદ ધ્યાવે, પરમ આનંદ પાવે
નવમે ભવે શિવ જાવે, દેવ નરભવ પાવે
જ્ઞાનવિમલ ગુણ ગાવે, સિદ્ધચક્ર પ્રભાવે
સવિ દુરિત સમાવે, વિશ્વ જયકાર પાવે!
જૈન શાસન જયવન્તુ વર્તો

અરિહંત ભગવાનની આજ્ઞા થી..

નવપદનો મહિમા

અરિહંત મારા દેવ છે. સુસાઘુ મારા ગુરુ છે તથા જિનેશ્વર પ્રરુપિત ઘર્મ મારો ઘર્મ છે. આ શ્રદ્ઘા મેં ગ્રહણ કરી છે. રાગ-દ્વેષના વિજેતા સર્વજ્ઞ અને સર્વદર્શી એવા અરિહંત તથા સિઘ્ધ એ પ્રથમ દેવપદમાં આવે છે. આચાર્ય-ઉપાઘયાય અને સાઘુ એ ગુરુપદમાં આવે છે તથા જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ એ ઘર્મપદમાં આવે છે. આ દેવ-ગુરુ અને ઘર્મ આપણા આઘારસ્તંભ છે. આપણને આપણા તત્વનું, અંદર બિરાજેલા પરમાત્માનું ભાન કરાવનાર દેવ અને ગુરુ છે. અત્યાર સુઘી અન્તરાત્માના ભાન વિના આપણે અનંત દુઃખ સહન કર્યુ છે.

ઘર્મના સ્વરુપને સમજનાર આત્મા જ નવપદની સાચી આરાઘના કરી શકે છે. આ નવપદ આ પ્રમાણે છે. 1.અરિહંત 2. સિઘ્દ 3. આચાયૅ 4. ઉપાઘ્યાય 5. સાઘુ 6. દર્શન 7. જ્ઞાન 8. ચારિત્ર 9. તપનો સમાવેશ થાય છે. નવપદના મહિમાને બતાવતી શ્રીપાળ રાજા અને મયણાસુંદરીની વાત જાણવા જેવી છે.

માલવ દેશની ઉજ્જૈની નગરીમાં રાજા પ્રજાપાલ વેદાંત ઘર્મના ચુસ્ત અનુયાયી હતા. તેમને બે પુત્રી હતી સુરસુંદરી અને મયણાસુંદરી. સુરસુંદરીએ વેદાંતનો અભ્યાસ વિશેષ કર્યો જ્યારે મયણાસુદરીએ જૈન દર્શનનો વિશેષ અભ્યાસ કર્યો.
એકદા રાજસભામાં બન્ને પુત્રીઓની પરીક્ષા કરવામાં આવી જેમાં બંને પાસ થઈ ગઈ. મહારાજા પ્રજાપાલે એક વિકટ પ્રશ્ન પૂછયો પુત્રીઓ ! તમે આપકર્મી કે બાપકર્મી ? મયણાએ કહ્યુ, ‘પિતાજી ! હું આપકર્મી છું જ્યારે સુરસુંદરીએ કહ્યુ, હું બાપકર્મી છું.
મહારાજા સુરસુંદરીના જવાબથી ખુશ થયા, પણ મયણાના જવાબથી નારાજ થયા. તેમણે મયણાને કહ્યું, ‘મયણા ! તું મારા ધરે રહેતી હોવા છતાં આપકર્મી કેવી રીતે થાય ? તારામાં અભિમાન આવી ગયું લાગે છે.‘
મયણાએ કહ્યું, ‘પિતાજી! ભરસભામાં વિશેષ શું બોલાય ? પણ એટલું તો જરુર કહીશ કે સંસારનાં દરેક જીવ પોતાના શુભ-અશુભ કમોૅના કારણે સુખ-દુઃખ ભોગવે છે.

સુરસુંદરીએ કહ્યું, ‘ પિતાજી ! આપ જ જગતને જિવાડનારા છો….. એક મહીપતિ અને બીજો મેઘ એ બે જગતને જિવાડનારા છે.‘ રાજા પોતાની ખુશામત સાંભળીને ખુશ થઈ ગયો. તેણે સુરસુંદરીને કાંઈ માગવાનું કહ્યું ત્યારે સુરસુંદરીએ કહ્યું, ‘ પિતાજી! મને અરિદમન રાજા પ્રત્યે અનુરાગ છે તેથી તેમની સાથે મને પરણાવો.‘ રાજાએ કહ્યું, ‘તથાસ્તુ‘ .

તેના દબદબાપૂર્વક લગ્ન કર્યા તથા પુષ્કળ કરિયાવર આપી વિદાય આપી.
રાજાએ કહ્યું, ‘ મારુ કહ્યું માનનારાને હું માગે તે આપી દઉ મયણા‘, હજી પણ તું વિચારી લે. સુરસુંદરીને એક દેશ આપ્યો, પણ તું મારી વાત માને તો તને સુંદર વર તથા બે દેશ આપું.‘

મયણાએ કહ્યું,‘ પિતાજી ! ગુમાન કરવા જેવું નથી. ઘર્મના મર્મને સમજવા જેવો છે. સુખ-દુઃખ કર્મોના આઘારે મળે છે. આ સત્ય છે, તેનો લોપ કેમ થાય ?‘
રાજાએ મનમાં ગાંઠ વાળી કે મયણાને હું બરાબર બતાવી દઈશ કે કેવી રીતે આપકર્મી થયા છે.
સામેથી ૭00 કોઢિયા પોતાના માલિકની સાથે આવી રહ્યા હતા. રાજાએ પ્રઘાનને પૂછ્યું.
આ બઘા કોણ આવે છે ? પ્રઘાને કહ્યું, બઘા રોગિષ્ઠ છે. તેમનો પડછાયો પણ ન લેવાય……. ત્યાં તો કોઢિયા અને તેમનો દૂત રાજા પાસે આવી પહોંચે છે તથા રાજાને કહે છે, ‘રાજન ! અમારા રાજાને સવૅ ઋધ્ધિ મળી છે, પણ તેઓ અવિવાહિત છે માટે તેમના માટે એક કન્યાની જરુર છે.‘

રાજાને થયું કે મયણા જ આ કોઢિયાઓના રાજાને આપું તથા એને બતાવી દઉ કે મારી વિરુધ્ધ બોલનારને કેવું ફળ મળે છે ! માણસ જેટલો અહંકાર આ દુનિયામાં કોઈનેય નહિ હોય ! રાજાએ કોઢિયાના દૂતને કહ્યું, ‘તારા રાજાને મારી સભામાં તેડી આવ, હું તેને રૂપવાન કન્યા પરણાવીશ.‘ પેલા દૂત વગેરે રાજી થઈ ગયા. તેમણે જઈને પોતાના સરદારને બઘી વાત કરી.

મહારાજાએ કહ્યું, ‘મયણા ! તું તારા કર્મવાદનો સિધ્ધાંત છોડી દે તથા મારી મહત્તા સ્વીકાર તો તારી બઘી ઇચ્છાઓ પૂરી કરીશ.‘
મયણાએ કહ્યું, ‘પિતાજી! સત્યનો લોપ કેવી રીતે થાય? ‘ હું મારા સિધ્ધાંતમાં મક્કમ છું. નગરમાં બઘાને ખબર પડી ગઈ કે રાજા આવા કોઢિયાને પોતાની સ્વરૂપવાન કન્યા પરણાવશે…..
ઉબર રાણો જોવો આવ્યો કે મહારાજાએ તેનું સ્વાગત કરતા કહ્યું, પઘારો! પઘારો! પછી મયણા સામે જોઈને કહ્યું, ‘ આ તારો નાથ આવ્યો. એની સાથે તું સુખનો ઉપભોગ કર. તારાં કર્મે જ તેની સાથે તારા વિવાહ કર્યા છે માટે કર્મનો પ્રભાવ જોઈ લે.‘

મયણાસુંદરીએ જરાય ખેદ પામ્યા વિના પિતાની વાત સ્વીકારી ઉબર રાણાને પતિ તરીકે માની લીઘો તથા તેને હાર પહેરાવવા માંડયો, પણ ઉબર કહે છે, ‘રાજન ! આ અનુચિત છે. કાગડાના કંઠે મોતીની માળા શોભે નહિ. પુર્વે કરેલા કર્મોના કારણે કોઢ જેવા રોગને ભોગવું છું.‘ તેમાં આવી રત્ન જેવી પુત્રીનો ભવ બગાડી વઘુ કર્મ બાંઘવા ઈચ્છતો નથી તેથી આપ ક્રોઘને શાંત પાડી મારા જેવી કોઈ હોય તેની સાથે મને પરણાવો.‘ સાચું જ કહ્યું છે કે ભાવિભાવને કોઈ મિથ્યા કરી શકતું નથી.
મહારાણી ચોઘાર આંસુએ રડવા લાગી. તેને મહારાજાને કહ્યું મારી પુત્રીને તમે કોને આપી રહ્યા છો? રાજમહેલમાં રહેનારી રાજકુમારી શું ગરીબોની ઝુંપડીમાં રહેશે? રાજાએ કહ્યું તારી પુત્રીએ ભર સભામાં મારું અપમાન કયુૅ છે તથા તે કર્મવાદના સિદ્ઘાંતને પકડી રાખે છે, મેં તેને કમર્વાદનું ફળ આપ્યું છે. સભાજનો રાજાની વાત સાંભળીને સ્તબ્ઘ થઈ ગયા.

મયણા રડતાં રડતાં બોલી…… માતાજી ! માતાજી ! અમને આશીર્વાદ આપો.
રુપસુંદરીએ કહ્યું, બેટી ! મારાં આંસુ હજી સુકાયા નથી, હું કયા મોઢે આશીર્વાદ આપું? મયણાએ કહ્યું, માતા ! મારી ચિંતા ન કર. હું તારા સંસ્કારોને અજવાળીશ. આપકર્મથી સુખી થઈશ, તું મને આશીર્વાદ આપ. માતાએ પુત્રીને આશીર્વાદ આપ્યા તથા નવકાર મંત્રનું સ્મરણ કરવા બંનેને સુચના આપી. ઉંબર અને મયણા વિદાય લે છે…….. લોકો રાજાની ખુબ જ નિંદા કરવા લાગ્યા.

ઉબર રાણાએ પોતાના ઉતારે આવીને મયણાસુંદરીને કહ્યું,‘ હે સુંદરી ! મારા જેવા કોઢિયાના સ્પર્શથી તારી સુવર્ણ જેવી કાયા વિણસી જશે માટે તને હું દુઃખી કરવા નથી માગતો.‘
મયણાએ કહ્યું, ‘સ્વામી ! તમે જ મારા ભર્તા છો, હું અન્ય પુરૂષને સ્વપ્ને પણ ઈચ્છીશ નહિ. મયણા ઉબર રાણાને ઘર્મનો મહિમા સમજાવે

MEANING: SIDDHACHAKRA IS THE WHEEL OF PERFECTION
The Siddhachakra Yantra is the most auspicious and most versatile mystical diagram in the Jain religion (see the diagram given here). ‘Siddha‘ means liberated soul and ‘chakra‘ means freedom from karmic bondages. ‘Yantra‘ means a mystical diagram. When one worships the Siddhachakra Yantra, one’s soul becomes liberated from karmic bondages.
This mandala of the Siddhachakra is the purest form of meditation.
There are nine points of energies, which are harmonized in one mandala.
1. In the centre is the Arihant
2. On the top of the Arihant is Siddha
3. On the right side of the Arihant is Acharya
4. Below Arihant is Upadhyaya
5. On the left of the Arihant is the Sadhu
6. Between the Siddha and Acharya represents faith (Darshan)
7. Between the Acharya and Upadhyaya represents knowledge (Gyan)
8. Between the Upadhyaya represents conduct (Charitra)
9. Between the Sadhu and Siddha represents penance and forbearance (Tap)
The Navpad Ayambil Oli, which last for nine days, is performed twice a year. The first Ayambil Oli comes in the bright fortnight of Chaitra month (March/April) and the second during the bright fortnight of Aaso month (October). During these nine days of Ayambil Oli, Puja, Holy Recitation, Mediation and other Rituals in honor of Navapad or Siddhachakra Aradhana takes place.
If Ayambil Oli is done every year twice – nine days each time means for four and half years (in total eighty one days), then it is said that one has completed Navapad Oli. Ayambil is done by having only one meal a day of plain food which is devout of any special taste and spices, which is boiled or cooked without oil/ghee, spices and also milk, curd, green and raw vegetables are not consumed. Ayambils may be restricted to one kind of grain per day. Navpadji Oli Tap are considered to be Shaswati, meaning permanent. It means Navpad Oli celebration exists in all time cycles (past, present and future).
During these days, everyday worship is to be offered to the Navpad or nine pads of Siddhachakra – which are Arihant, Siddha, Acharya, Upadhyaya, Sadhus (Panch Paramesthi), Darshan (Faith), Gyan (Knowledge), Charitra (conduct) and tap (Penance).
Each Pad in the Nav Pad gives eternal happiness to the soul if it is worshipped with inner heart. For many of us who are working during the day, it may not be practically possible to do Ayambil on every day. And if you are unable to do Ayambil everyday…….
THEN Please try to do at least the following:
• Do Ayambil for one day or as many days as you can……
• Do Chauvihar as many days as possible……
• And do maximum Aradhana that you can……

The Ayambil diet is like a detoxification. If nothing else the diet eaten during Ayambil is beneficial for our health and will also help reduce our own carbon footprint.
Ayambil give us an opportunity not only to practice Jain conduct to a greater degree than normal but also to revitalize and strengthen our faith in Jain Religion.

श्रीपाल राजा – मयणासुंदरी कथा ..
{ जैन जगत में नवपद की महिमा अपरंपार है }

नवपदजी के गुणों की व्याख्या आराधना… महाराजा श्रीपाल और मयणासुंदरी की कथा के बिना ओलीज़ी का लेखन अधूरा है, बहुत सुंदर और आत्मीय आदर्श है…
जिनशास्त्रों के अनुसार करीबन् इग्यारह लाख वर्ष पूर्व, अनंत उपकारी प्रभु मुनिसुव्रतस्वामीजी के समय में यह तप-उपासना हुई, ऐसा शास्त्र और गुरुदेव फरमाते है।

जिनशासन की परम् उपासक, जिनभाषित कर्म के सिद्धांत पर अटूट् श्रधा रखने वाली सुश्राविका मयणासुंदरी ने अपने सुश्रावक पतिदेव महाराजा श्रीपाल के कोढ़ रोग निवारण हेतु… उज्जैन नगरी में सिद्धचक्रजी की आराधना करके उस भयंकर रोग से मुक्ति दिलायी थी।

इस तप की महिमा का उल्लेख करीबन् 2600 वर्ष पहले वर्तमान जिनशासक देव श्री महावीरस्वामीजी ने… अनंतलब्धिनिधाय गौतमस्वामीजी और श्रेणिक महाराजा को अपनी देशना में कही थी।

पूर्व भवोंभव में किये पुण्यमयी कार्य, जिनवाणी पर अटूट श्रधा, राजा, रंक या त्रियंच जो भी जीवन मिला… उसे न्यायोच्चित्त जिनवाणी
के अनुसार जीने वालो को अवश्य ही उपकारी प्रभु का मार्गदर्शन मिलता है । शुभम्अस्तु !!

उज्जैन नगर में महाप्रतापी प्रजापाल नामक राजा राज्य कर रहे थे, उनके दोनो रानियों से एक एक पुत्री थी, पहली रानी सोभाग्यसुंदरी की पुत्री का नाम सुरसुन्दरी… जो स्वभाव् से *मिथियात्व को मानने वाली थी, दुसरी रूपसुंदरी की पुत्री का नाम मयणासुंदरी… जो *सम्यक्त्व को धारण किये हुए थी।
एक दिन राज्यसभा में अपनी पुत्रियों की बुद्धिमता की परीक्षा लेते हुए कर्म के सवाल पर राजा ने पुछा… क्या पिता के कर्म से प्राप्त एश्वर्य से आपको सभी खुशियाँ मिल सकती है..?
प्रश्नोत्तर में सुरसुंदरी ने कहा… मुझे मेरे महान् राजा पिता की कृपा से सब कुछ मिल जायगा।
प्रश्नोंत्तर में मयणासुंदरी ने कहा… सभी जीवात्मा अपने पूर्व एवं वर्तमान कर्म के अनुसार ही सुख-दुःख प्राप्त करते है, उसमे न कोई कम कर सकता है न ही बढ़ा सकता है।
यह सुनकर अभिमान से चूर राजा अति क्रोधित होते हुए कहा… मयणा.. तुझे ये हीरे से जड़े रेशमी वस्त्र, स्वादिस्ट भोजन, रत्न के झुले, दास-दासियाँ सभी कुछ मेरी मेहरबानी की वजह से मिल रहे है।
मयणा.. पिताश्री आप क्रोधित न होवें, मेंने मेरे पुर्वजन्म के कृत कर्मों के कारण ही आपके यहाँ जन्म लिया है।
प्रजापाल राजा ने पुत्री सुरसुन्दरी ( पिता-कर्मी ) को इच्छित वरदान दिया, एवं शंखपुरी के अधिपति रूप के राजा अरिदमन के साथ उसका विवाह राजशाही ठाठ-बाट से किया, दहेज में अनन्य धन-दौलत दास-दासियाँ दी।
घमंडी पिता प्रजापाल ने मयणा को धिक्कारते हुए कहाँ…तूने मेरा अपमान किया है, तू वास्तव में मुर्ख शिरोमणि है, इस राजसभा के समक्ष मेरे मान-सम्मान को भयंकर ठेस पहुंचायी है, इसका दंड तुझे अवश्य मिलेगा।

अगले दिन प्रजापाल शिकार पर निकले, वहाँ एक झुंड को आते देखा, पता लगाने पर मालुम हुआ.. यह सातसौ कोढियों का झुंड है..
राजा का विरोधी मन अहंकार से ज्वलित हो उठा और पुत्री मयणा का विवाह कोढियों के राजा *उम्बरराणा के साथ करने का निश्चय कर लिया ! सोचने लगे.. मयणा कर्म-कर्म करती है, वह कर्म का प्रत्यक्ष फल प्राप्त करें, वे कटुवचन मेरे मन मष्तिस्क में अभी भी खटक रहे है..

उम्बरराणा की बरात राजमहल की और बढ़ रही है, राणा खच्चर पर सवार है, कोतहुल का माहोल है… सभी रोग से क्षीण है, कोई लुला-लंगड़ा है, कईओं के शरीर पर घाव है, खून टपक रहा है, मक्खियाँ भिनभीना रही है, उनको देखकर लग रहा था.. नरक से भी बदत्तर जिन्दगी जी रहे है।

राजसभा में प्रजापाल ने आदेश स्वरूप कहा… मयणा ! तेरे कर्मो द्वारा प्रदान यह तेरा पति आया है, इसके साथ शादी कर सभी प्रकार के सुखों को तू भोग…
कर्म आधारित भाग्य पर भरोसा करने वाली मयणासुंदरी ने क्षणभर भी विलंब किये बिना दर्द से कहराते हुए कोढ़ीये के गले में वरमाला अर्पित कर उसे पति के रूप में स्वीकार कर लिया।

उम्बरराणा लडखडाती आवाज में मयणा से कहते है… खुब गहराई से सोच ले, कंचनवर्णी तेरी काया मेरे संग से नष्ट हो जायगी, तुम देवांगना जैसी… मुझे पति मानना उच्चित नही है…!
ऐसे वचन सुनकर मयणा को अपार दुःख हुआ, आँखों से टपटप आँसू टपकने लगे, पति के चरणों में गिरकर बोली… हे प्राणेश्वर..! आप यह क्या बोल रहे है, जैसे सूर्य पश्चिम दिशा में नही उगता, ठीक वैसे ही सती स्त्रियाँ अपने पतिधर्म से कभी नही डगमगाती।

Related Articles

× CLICK HERE TO REGISTER